Anganwadi Labharthi Yojana Gujarat : ભારત અને ગુજરાત સરકાર દ્વારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નવી યોજના શરુ કરવામાં આવી છે, આ યોજનાનું નામ “આંગણવાડી લાભાર્થી યોજના” છે. મિત્રો, આંગણવાડી લાભાર્થી યોજના હેઠળ 1 થી 6 વર્ષના બાળકો જેમની પોષણની જરૂરિયાતો પૂરી થઈ રહી નથી તમને 2500 રૂપિયા માસિક સહાય મળવાપાત્ર છે. આંગણવાડી લાભાર્થી યોજનાનો લાભ મેળવવા માટે તમારી નજીકની આંગણવાડીમાં અરજી કરવાની રહેશે જેની સંપૂર્ણ માહિતી આ લેખ દ્વારા જણાવીશું.
આંગણવાડી લાભાર્થી યોજના | Anganwadi Labharthi Yojana Gujarat
યોજના | આંગણવાડી લાભાર્થી યોજના |
હેતુ | ગરીબ અને નબળા વર્ગની મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવી |
લાભાર્થી | 1 થી 6 વર્ષના બાળકો |
મળવાપાત્ર સહાય રકમ | 2500 રૂપિયા માસિક |
રાજ્ય | ગુજરાત |
ફોર્મ તારીખ | હાલ અરજી ફોર્મ ભરવાના શરુ |
આંગણવાડી લાભાર્થી યોજના શું છે?
મિત્રો, આંગણવાડી લાભાર્થી યોજના ભારત અને રાજ્ય સરકાર દ્વારા બાળકોના હિત માટે શરુ કરવામાં આવી છે, આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ અને નબળા વર્ગની મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. જેમાં સગર્ભા મહિલાઓને દર મહિને ₹2500 ની નાણાકીય સહાય આપવામાં આવશે, જેથી તેઓ તેમના સ્વાસ્થ્ય અને પોષણની કાળજી લઈ શકે. આ ઉપરાંત 1 થી 6 વર્ષના બાળકોને પણ આ યોજના હેઠળ મદદ મળવાપાત્ર છે.
આંગણવાડી લાભાર્થી યોજના માટેની પાત્રતા
- અરજદાર મહિલા અથવા બાળક ગુજરાત રાજ્યનું વતની હોવું જોઈએ.
- આ યોજના હેઠળ માત્ર ગર્ભવતી મહિલાઓ અને તેમના બાળકો જ સહાય મળશે.
- 1 થી 6 વર્ષના બાળકોને જ યોજનાનો લાભ મળશે.
- મહિલા અને તેના બાળકની આંગણવાડી કેન્દ્રમાં નોંધણી કરાવવી આવશ્યક છે.
આંગણવાડી લાભાર્થી યોજના માટે જરૂરી દસ્તાવેજ
આંગણવાડી લાભાર્થી યોજના માટે અરજી કરવા અરજદાર વ્યક્તિ પાસે નીચેના જરૂરી દસ્તાવેજ હોવા જોઈએ.
- અરજદાર વ્યક્તિનું આધાર કાર્ડ
- આવકનો દાખલો
- જાતિનો દાખલો
- સરનામું પુરાવો
- બેંક ખાતા પાસબુક
- પાસપોર્ટ ફોટા
Anganwadi Labharthi Yojana Gujarat માટે અરજી કઈ રીતે કરવી?
- પગલું 1: પ્રથમ આંગણવાડી લાભાર્થી યોજના સંબંધિત વેબસાઈટ પર જાઓ.
- પગલું 2: હવે, એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.
- પગલું 3: નવું અરજી ફોર્મ ખુલશે.
- પગલું 4: ફોર્મમાં જણાવેલ તમામ વિગતો ભરો.
- પગલું 5: તમામ જરૂરી દસ્તાવેજ જોડો.
- પગલું 6: ત્યાર બાદ, સબમિટ બટન પર ક્લિક કરો.
- પગલું 7: અરજી પ્રિન્ટ ડાઉનલોડ કરો.
આંગણવાડી લાભાર્થી યોજના હેઠળ મળવાપાત્ર લાભો
આંગણવાડી લાભાર્થી યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને તેમના સ્વાસ્થ્ય અને પોષણ માટે દર મહિને 2500 રૂપિયાની સહાય મળશે, આ યોજના ગરીબ પરિવારોને આર્થિક રાહત આપશે, ખાસ કરીને એવા પરિવારો કે જેઓ ગરીબી અને બેરોજગારી સાથે સંઘર્ષ કરી રહ્યા છે.
આંગણવાડી લાભાર્થી યોજના હેઠળ કેટલી સહાય મળે છે?
આંગણવાડી લાભાર્થી યોજના હેઠળ 2500 સહાય મળે છે.
આંગણવાડી લાભાર્થી યોજનાનો લાભ કોને મળે છે?
આંગણવાડી લાભાર્થી યોજનાનો લાભ ગર્ભવતી મહિલાઓ અને 1 થી 6 વર્ષના બાળકોને મળે છે.
આંગણવાડી લાભાર્થી યોજનાનો હેતુ શું છે?
આંગણવાડી લાભાર્થી યોજનાનો હેતુ ગરીબ અને નબળા વર્ગની મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવાનો છે.